એચ એફ વાછરડી નું વજન જન્મ થી ૧૨ મહિના માં ૩૦૦ કિલોગ્રામ કરવા શું ધ્યાન માં રાખવું ??



પંજાબ નાં પશુપાલન નાં નફા નો મોટો ફાળો એના વાછરડી ઉછેર ને જાય છે.

પંજાબ નાં પશુ પાલકો દૂધ ઉત્પાદન ની સાથે સાથે વિજ્ઞાનિક પદ્ધતિ થી વાછરડી ઉછેર કરી એને દુધાળુ પશુ બનાવે છે, અને જૂના દુધાળા પશુ ને ગુજરાત તથા અન્ય રાજ્યો ને વેચી ને ઉંચી કિંમત કમાય છે.

આથી પંજાબના પશુપાલકોના પશુઓ ની શરેરાશ વેતર ૨ કે ૩ હોય છે. જ્યારે ગુજરાત ના પશુપાલકો નાં તબેલા માં પશુઓનો શરેરશ વેતર ૩ કે તેથી વધુ રહે છે.

દરેક પશુ પલકો જાણે છે કે દુધાળા પશુ નાં જેમ વેતર વધતા જાય એમ એમના ફરી ગાભણ થવાની સંભાવના ઘટે છે અને દવા નાં ખર્ચ વધે છે.

માટેજ જો ગુજરાત નાં પશુપાલકો જો દૂધ ઉત્પાદન ની સાથે સાથે વૈજ્ઞાનિક પદ્ધતિ થી વાછરડી ઉછેર પર જોર આપે તો આવકનો સ્ત્રોત વધે અને દૂધ ઉત્પાદન ની કિંમત માં ઘટાડો કરી શકાય.

 
એચ એફ વાછરડી એક વર્ષ માં ૩૦૦ કિલો વજન કઈ રીતે કરી શકાય.

1. નિયમિત સમયે વજન માપવું

એચ એફ વાછરડી ની પુક્તવય 12-15 મહિના માં આવી જાય છે.

ત્યાર બાદ જો વાછરડી નું વજન પ્રમાણસર હોય તો વાછરડી ગરમી માં આવાની શરૂઆત કરી દે છે, મતલબ જેટલી જલ્દી ગરમી માં આવે એટલી જલ્દી દૂધ ઉત્પાદન માં પણ આવશે

બીજદાન કરી શકાય તેના માટે વાછરડી નું વજન ઓછા માં ઓછુ 300 કી ગ્રા હોવું જોઈએ અને તે 12-15 મહિનામાં વધવું જોઈએ

જન્મ સમયે વાછરડી નું વજન 32-40 કી ગ્રા હોય છે જેને 300 કી ગ્રા કરવા માટે દરેક પશુ પલકે એકે ચાર્ટ બનાવી લેવો જોઈએ કે કાયા મહિને વાછરડી નું વજન કેટલું થવું જોઈએ અને તેની સામે સતત વાસ્તવિક વજન લખી ને વાછરડી નો ઉછેર બરાબર થાય છે કે નહિ તે જોતા રહેવું જોઈએ.

વાછરડી ઉછેર ના આંતરાષ્ટ્રીય ધોરણો મુજબ શરેરાશ દૈનિક વજન માં વધારો નીચે બતાવેલા ટેબલ જેવો હોવો જોઈએ.

જો વાછરડી નું વજન આ ધોરણો મુજબ ના વધતું હોય તો પશુપાલકે વાછરડી ના ખોરાક માં બદલાવ કરવો જોઈએ



Average Daily Gain



2. ખાસ વાછરડી માટે બનેલા દાણ નો ઉપયોગ



વાછરડી માં 35 કી ગ્રા  થી 300 કિગ્રા વજન લઇ જવા માં મુખ્તયે 2 વસ્તુ નો વિકાસ થશે.

i . વાછરડી નું હાડપિંજર , કે જેના માટે કેલસિમ અને બીજા જરૂરી તત્વોની જરૂર મોટા પાયે જરૂર પડશે.

ii. વાછરડી નું સ્નાયુતંત્ર, કે જેના માટે પ્રોટીન ની જરૂરિયાત મોટાપાયે જરૂર પડશે.

આથી જો સફળ એટલેકે 12-15 મહિનામાં વાછરડી નું વજન 300 કી ગ્રા  પોંહચાડવુ હોય તો જે ખોરાક દૂધ આપતા પશુ ને આપો છો, તે ખોરાક વાછરડી ને કામ નહિ આવે આથી, ખાસ વાછરડી ઉછેર માટે બનેલા દાણ નો ઉપયોગ કરવો જોઈએ


વધુ માહિતી માટે સંપર્ક કરો

9408931345

dabutala@gmail.com




ટિપ્પણીઓ